gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Wednesday, July 18, 2012

કરારવિન્દેન પદારવિન્દં


 કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ્
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દમં મનસા સ્મરામિ
કરકમળથી ચરણકમળને મુખકમળમાં મૂકનારા અને વડના પાનના પડિયામાં સૂતેલા એવા શ્રી બાલમુકુન્દ ભગવાનનું હું મનથી સ્મરણ કરું છું.
શ્રી કૃષ્ણ ગોવિન્દ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ
હે જીભ! તું ‘હે કૃષ્ણ ! હે ગોવિન્દ ! હે હરિ ! હે મુરારિ ! હે નાથ ! હે નારાયણ ! હે વાસુદેવ ! વળી હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એ જ અમૃતનું પાન કર. ( એ જ નામોનો જપ કરતી રહે.)
વિક્રેતુકામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃત્તિ:
દધ્યાદિકં મોહવશાદવોચદ ગોવિન્દ દામોદર માધવેતિ
દહીં વગેરે વેચવાની ઈચ્છાવાળી (પણ) પ્રભુચરણોમાં અર્પણ કરેલી ચિત્ત્વૃત્તિવાળી ગોપકન્યા પ્રભુચરણના મોહને લીધે ‘હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એમ બોલે છે.
ગૃહે ગૃહે ગોપવધૂકદમ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ્
પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિન્દ દામોદર માધવેતિ
ઘેર ઘેર ગોપસ્ત્રીઓનાં જૂથો સાથે મળીને ‘હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એવા પવિત્ર નામોનો હંમેશા પાઠ કરે છે.
સુખં શયાના નિલયે નિજેપિ નામાનિ વિષ્ણો: પ્રવદન્તિ મર્ત્યા:
તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિન્દ દામોદર માધવેતિ
પોતાના ઘરે આરામથી સૂતા સૂતા પણ મૃત્યુલોકના માનવીઓ ‘હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એવા વિષ્ણુ ભગવાનના નામોનો જપ કરીને ખરેખર તન્મયતાને પામે છે.
જિહ્વે સદૈવ ભજ સુન્દરાણિ નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ
સમસ્ત ભક્તાર્તિવિનાશનાનિ ગોવિન્દ દામોદર માધવેતિ
હે જીભ ! તું સદા શ્રીકૃષ્ણનાં ‘હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એવા ભક્તોનાં સર્વ દુ:ખોનો નાશ કરનારાં સુંદર અને મનોહર નામો ભજતિ રહે.
સુખવસાને ઈદમેવ સારં દુ:ખાવસાને ઈદમેવ જ્ઞેયમ્
દેહાવસાને ઈદમેવ જાપ્યં ગોવિન્દ દામોદર માધવેતિ
‘હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એ પ્રભુના નામો સુખના સમયે ખરો સાર છે; તેમજ દુ:ખના સમયે પણ એ જ નામ જાણવા યોગ્ય છે અને દેહના પ્રયાણકાલે પણ એ જ નામો જપવા યોગ્ય છે.
શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણો
જિહ્વે પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ
હે જીભ! તું ‘હે કૃષ્ણ ! હે રાધાવર ! હે ગોકુલેશ ! હે ગોપાલ ! હે ગોવર્ધનનાથ ! હે વિષ્ણુ !’ વળી હે ગોવિન્દ !  હે દામોદર ! હે માધવ !’ એ જ અમૃતનું પાન કર. ( એ જ નામોનો જપ કરતી રહે.)

Monday, July 16, 2012

મારી શેરીએથી કાનકુંવર


મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ.
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢણ અંબર વીસરી રે લોલ.
હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,
ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ.
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.
મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ
મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો  રે લોલ
ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ
હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ
ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ
મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ
મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ
મીઠી તે મોરલી વગાડતા રે લોલ

Thursday, July 12, 2012

એવા રે અમો એવા રે

એવા રે અમો એવા રે
તમે કહો છો વળી તેવા રે
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો
તો કરશું દામોદરની સેવા રે.
જેનું મન જે સાથે બાંધ્યું
પહેલું હતું ઘર-રાતું રે,
હવે થયું છે હરિરસ-માતું
ઘેર ઘેર હીંડે છે ગાતું રે.
કર્મ-ધર્મની વાત છે જેટલી
તે મુજને નવ ભાવે રે,
સઘળા પદારથ જે થકી પામ્યો
તે મારા પ્રભુજીની તોલે ના'વે રે.
સઘળા સંસારમાં એક હું ભૂંડો
ભૂંડાથી વળી ભૂંડો રે,
તમારે મન માને તે કહેજો
નેહ લાગ્યો છે મને ઊંડો રે.
હળવા કરમનો હું નરસૈંયો
મુજને તો વૈષ્ણવ વહાલા રે,
હરિજનથી જે અંતર ગણશે
તેના ફોગટ ફેરા ઠાલા રે.
 - નરસિંહ મહેતા

कोशिश करने वालों की हार नहीं होती।

लहरों से डर कर नौका पार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।
नन्हीं चींटी जब दाना लेकर चलती है,
चढ़ती दीवारों पर, सौ बार फिसलती है।
मन का विश्वास रगों में साहस भरता है,
चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है।
आख़िर उसकी मेहनत बेकार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।
डुबकियां सिंधु में गोताखोर लगाता है,
जा जा कर खाली हाथ लौटकर आता है।
मिलते नहीं सहज ही मोती गहरे पानी में,
बढ़ता दुगना उत्साह इसी हैरानी में।
मुट्ठी उसकी खाली हर बार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।
असफलता एक चुनौती है, इसे स्वीकार करो,
क्या कमी रह गई, देखो और सुधार करो।
जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम,
संघर्ष का मैदान छोड़ कर मत भागो तुम।
कुछ किये बिना ही जय जय कार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।

-----सूर्यकांत त्रिपाठी "निराला"

Tuesday, July 10, 2012

નારી શક્તિ

આ કિશ્તિ ઓર છે, જેની તુફાનો પ્રેરણા છે. ખરાબાને ખડકો વચ્ચે થઈ વહેવુ ગમે છે.
 આ કિશ્તિ ઓર છે, જે તુફાનો ને સહારે મંઝીલ પામે છે. અને કિનારા તેને નમે છે.

બાળક નો ઉછેર કેવો કરવો જોઈએ:
 " અડાબીડ ઉઝરી જતા જંગલના છોડ જેવો નહીં, પણ મોઘલ ગાર્ડન માં ઊગેલા ગુલાબ  જેવો."
-- સ્વામી આનંદ

અસત્યો માંહેથી


પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, - તુજ ચરણમાં નાથ જી ધરું.

- કવિવર ન્હાનાલાલ

મંગલ મંદિર ખોલો


મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; ... દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો ... દયામય !

- નરસિંહરાવ દિવેટિયા

Wednesday, July 4, 2012

સૌથી મોટો પ્રશ્ન અને મકનજીના દુહા


સૌથી મોટો પ્રશ્ન
એક દિન મે’તાજીએ છોકરાને પ્રશ્ન કર્યો ઃ-
‘ઈતિહાસ વિષે પ્રશ્ન સહુથી ક્યો મોટો છે ?’
યાદ કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે,
મે’તાજીની આંગળીની ચીંધ સહુ માથે ફરે.
કુરુક્ષેત્ર! ટ્રોય કેરો? ઈતિહાસ ખોટો છે.
ફ્રેન્ચ રાજક્રાન્તિ ? એવી ક્રાન્તિને ય જોટો છે.
રાજ્યકેરા ધારા ? એવા ધારાનો ક્યાં તોટો છે?
વીજળી ને સંચાશોધ ? એ તો પ્રશ્ન છોટો છે.
નોખા ધર્મ પંથ ! એમાં ગડબડ ગોટો છે
સિપાઈના બળવાના વાંસા પર સોટો છે.
સત્યાગ્રહ ! એમાં ય તે કૈંકે વાળ્યો ગોટો છે,
આવડે ન તો તો ગાલે મે’તાજીની થોંટો છે.
છેલ્લી બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે ઃ
‘સાબ! સાબ! પ્રશ્ન એક રોટલાનો મોટો છે.’
- મુકુંદરાય પારાશર્ય


મકનજીના દુહા
માપે નભને પંખીઓ પાંખ પ્રમાણે ભાઈ!
આંખ પ્રમાણે માનવી ભાળે, કૈં ન નવાઈ.
મકના, મન મારીશ નૈં, દે હરિચરણે ધરી.
હરિશરણની નાવથી જા ભવસાગર તરી.
મરને તળિયે જીવીએ, દુનિયા દેખે નૈં.
મકના, એવી છીપ થા કે મોતી પાકે મૈં.
ગણો મકનને પારકો એનું ન એને દુઃખ.
આપરૂપ સંસારમાં માણે મકનો સુખ.
 મુકુન્દરાય પારાશર્ય